• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • રાષ્ટ્રપતિ ચૂંટણી પર વિપક્ષનું મંથન: ગોપાલ ગાંધી અને ફારુક અબ્દુલ્લાનું ચર્ચામાં, કોંગ્રેસ-શિવસેના સહિત 16 પક્ષના લોકોની સહમત્તી...

રાષ્ટ્રપતિ ચૂંટણી પર વિપક્ષનું મંથન: ગોપાલ ગાંધી અને ફારુક અબ્દુલ્લાનું ચર્ચામાં, કોંગ્રેસ-શિવસેના સહિત 16 પક્ષના લોકોની સહમત્તી...

01:50 PM June 16, 2022 admin Share on WhatsApp



રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્વે વિપક્ષને એક કરવા માટે મમકા બેનરજીએ દિલ્લીમાં બુધવારે વિપક્ષની બેઠક બોલાવી હતી જેમાં રાષ્ટ્રપતિના વિપક્ષી ઉમેદવાર માટે ચર્ચા કરાઈ હતી. અને અંત બે નામ પ્રપોઝ કરવામાં આવ્યા. લગભગ 2 કલાકની બેઠક પછી ગાંધીજીના પપૌત્ર ગોપાલ ગાંધી અને ફારુક અબ્દુલ્લાનું નામ પ્રપોઝ કર્યુ હતું. જે બાદ શરદ પવારે કહ્યું કે અમે આ નામ પર વિચારવિમર્શ કરી રહ્યાં છીએ.

બેઠકમાં શિવસેના અને કોંગ્રેસ સહિત 16 પક્ષના લોકો સામેલ હતા. એકમત એવો થયો કે તમામ વિપક્ષના એક જ ઉમેદવાર હશે. આ બેઠકમાં આમઆદમી પાર્ટીએ ભાગ લીધો ન હતો. તો આમંત્રણ ન મળવાને કારણે અસદુદ્દીન ઓવૈસી પણ નારાજ થઈ ગયા. બેઠકમાં કોંગ્રેસ, CPI, CPI(M), CPIML, RSP, શિવસેના, NCP, RJD, SP, NC, PDP, JD(U), RLD, IUML અને JMMના લીડર્સ સામેલ થયા હતા.

CPI નેતાએ પહેલાં ઈનકાર કર્યો પછી મીટિંગમાં આવ્યા
મમતા બેનર્જી અને NCP ચીફ શરદ પવાર બેઠકમાં સામેલ થવા માટે મંગળવારે સાંજે જ દિલ્હી પહોંચી ગયા હતા. 14 જૂને દિલ્હીમાં મમતાએ NCP ચીફ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરી. તો આ તરફ CPIના સીતારામ યેચુરીએ સ્પષ્ટ કરી દીધું કે NCPના નેતા શરદ પવાર રાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર નહીં હોય. તેમને એમ પણ કહ્યું કે મમતાના નેતૃત્વમાં મળનારી આ બેઠકમાં CPIના ટોચના નેતાઓ ભાગ નહીં લે. જો કે બુધવારે મળેલી બેઠકમાં તેઓ હાજર રહ્યાં હતા.

મમતાએ 22 નેતાઓને લખી હતી ચિઠ્ઠી
મમતાએ વિપક્ષના 8 સીએમ સહિત 22 નેતાઓને ચિઠ્ઠી લખીને બેઠકમાં હાજર થવાનો અનુરોધ કર્યો હતો. ખાસ વાત એ છે કે આ બેઠકમાં કોંગ્રેસ પણ સામેલ થઈ હતી. કોંગ્રેસ તરફથી આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યાં હતા. દેશમાં 18 જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણી થશે. જેને લઈને વિપક્ષ ભાજપ વિરૂદ્ધ એકજૂટ થઈ રહ્યાં છે.

24 જુલાઈએ ખતમ થઈ રહ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ
18 જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ થશે, તો 21 જુલાઈએ પરીણામ જાહેર થશે. બંધારણના નિયમ મુજબ દેશમાં હાલ રાષ્ટ્રપતિનો કાર્યકાળ ખતમ થતાં પહેલા આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા પૂરી થવી જોઈએ. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ ખતમ થઈ રહ્યો છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us